ખેલ-જગત
News of Saturday, 10th February 2018

આઇપીએલ 2018: ધોનીના કહેવા પર CSKમાં સમાવેશ થયો આ ખેલાડીનો

નવી દિલ્હી: ભારતમાં આઇપીએલ-2018ની નીલામી 27 અને 28 જાન્યુઆરીએ બેંગ્લુરુ ખાતે આયોજિત કરવામાં આવી હતી. આ નિલામીમાં કુલ 169 ખેલાડીઓ જ ખરીદવામાં આવ્યા છે. આ દરમિયાન 8 ફ્રેન્ચજી એ 431 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ્યા છે. આઈપીએલ સીઝન 11ની નિલામીમાં ફ્રેન્ચાઈઝીઓએ જુના ખેલાડીઓને રિટેન કર્યા છે તો બીજી તરફ નવા ખેલાડીઓને પણ પોતાની ટીમમાં સામેલ કર્યા છે. આ વખતે ધોનીના કહેવા પર ચેન્નઈ સુપર કિંગમાં હરભજસિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વાતનો ખુલાસો સીએસકેના સીઇઓએ કર્યો છે. 2 કરોડમાં હરભજનને ખરીદવામાં આવ્યો છે.

(5:28 pm IST)