પુણેમાં રમાનારી કૂચ બિહાર ટ્રોફીના નોકઆઉટ તબક્કાની મેચો સ્થગિત
કેટલીક ટીમોમાં કોવિડ-19ના કેસ સામે આવ્યા બાદ બીસીસીઆઈએ લીધો નિર્ણંય
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કોવિડ-19ના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને કૂચ બિહાર ટ્રોફીના નોકઆઉટ તબક્કાની મેચો સ્થગિત કરી દીધી છે. આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો નોકઆઉટ તબક્કો મંગળવારથી પૂણેમાં શરૂ થનાર હતી .
કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, "કેટલીક ટીમોમાં કોવિડ-19ના કેસ સામે આવ્યા બાદ બીસીસીઆઈએ સોમવારે કૂચ બિહાર ટ્રોફીના નોકઆઉટ તબક્કાની મેચો સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે."
અખબારી યાદીમાં કહેવામાં આવ્યું છે કે તમામના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને, પુણેમાં યોજાનારી નોકઆઉટ મેચો આગામી સૂચના સુધી સ્થગિત કરવામાં આવી છે. બીસીસીઆઈએ લીગ તબક્કામાં 20 સ્થળોએ 93 મેચ રમી હતી. બોર્ડ પરિસ્થિતિ પર નજર રાખવાનું ચાલુ રાખશે અને જ્યારે પરિસ્થિતિ સુધરશે ત્યારે નવી વિન્ડો શોધશે.
કૂચ બિહાર ટ્રોફીના નોકઆઉટ તબક્કામાં કુલ આઠ ટીમો ક્વોલિફાય થઈ હતી. આ ટીમો મુંબઈ, મહારાષ્ટ્ર, વિદર્ભ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા અને બંગાળ છે. આ તમામ મેચો વચ્ચે પૂણેમાં ચાર દિવસ સુધી મેચો રમાવાની હતી.
બીસીસીઆઈએ અગાઉ રણજી ટ્રોફી, કર્નલ સીકે નાયડુ ટ્રોફી અને વરિષ્ઠ મહિલા ટી20 લીગ 2021-22 પણ મુલતવી રાખી છે.