ખેલ-જગત
News of Friday, 9th July 2021

ભારત અને શ્રીલંકા સીરિઝ પર કોરોનાનું ગ્રહણ : 13 જુલાઈ નહીં હવે 17મીથી શરૂ થશે વનડે શ્રેણી

ઈંગ્લેન્ડથી પરત ફરલ શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ અને ડેટા એનાલિસ્ટ કોરોના પોઝિટિવ મળ્યા છે. શ્રીલંકાની ટીમમાં કોરોના વિસ્ફોટ થયા બાદ ભારત અને શ્રીલંકા સીરિઝ પર હવે ગ્રહણ લાગી ગયું છે. 13 જુલાઈએ ભારત અને શ્રીલંકા વચ્ચે વન ડે સીરિઝ શરૂ થવાની હતી. પણ હવે કોરોનાને કારણે આ મેચ 17 જુલાઈથી શરૂ કરવામાં આવશે.

બેટિંગ કોટ ગ્રાન્ટ ફ્લાવરના સંક્રમિત થયા બાદ શ્રીલંકાઈ ટીમમાં શુક્રવારે વધુ એક કોરોનાનો મામલો સામે આવ્યો છે. ટીમના ડેટા વિશ્લેષક જીટી નિરોશન કોરોના પોઝિટિવ મળ્યા છે. આ બંને સભ્યો કોરોનાના ડેલ્ટા વેરિયન્ટથી સંક્રમિત થયા છે.

  ગુરુવારે  શ્રીલંકા ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઈંગ્લેન્ડથી પરત ફરતાં જ બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર સહિત શ્રીલંકાના તમામ ખેલાડીઓનો આરટીપીસીઆર ટેસ્ટ કરાયો હતો. આ ટેસ્ટમાં કોચ ફ્લાવર કોરોના પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું.

(9:52 pm IST)