મારે જયારે સલાહની જરૂર હોય ત્યારે વિના સંકોચે હું ધોની પાસે પહોંચી જાવ છું
માહીએ મને દબાણ વગર ખુલીને રમવાની છૂટ આપી છે : કોહલી
ધોનીના સંદર્ભમાં કોહલીએ કહ્યું કે હું ચોક્કસપણે કહી શકું છું કે ટીમના દરેક પ્લેયર પાસે ધોની માટે કંઈક ખાસ કહેવાનું હશે, કારણ કે અમારામાંના મોટા ભાગના લોકોએ તેની કેપ્ટન્સીમાં જ પોતાનું કરિયર સ્ટાર્ટ કર્યું છે. મારી વાત કરું તો ધોનીએ કયારેય મને દબાણ આપીને રમવાનું નથી કહ્યું. તે ટીમના દરેક પ્લેયરને જાતે નિર્ણય લેવાનું કહી પોતાની રીતે ગેમ રમવાની છૂટ આપે છે.
માત્ર વર્લ્ડ કપમાં જ નહીં અનેક મેચમાં કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલી ધોનીની સલાહ લેતો જોવા મળ્યો છે. ધોની માટે વધુમાં ઉમેરતા કોહલીએ કહ્યું કે, જયારે મારે સલાહની જરૂરત હોય છે ત્યારે હું વગર કોઈ સંકોચે ધોની પાસે પહોંચી જાઉં છું અને તે પણ વગર કોઈ સંકોચે મને સલાહ આપે છે. હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે કેટલાય વર્ષોથી હું તેના નેતૃત્વમાં રમી શકયો છું.