જ્યારે ભગવાન સાથે હોય ત્યારે તેમના ચરણોમાં બેસી જવું સારૂં છેઃ વિરેન્દ્ર સેહવાગે સચિન તેંડુલકરના ભરપૂર વખાણ કરી સોશ્યલ મીડિયામાં તસવીર પોસ્ટ કરી
મુંબઇઃ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના સોશ્યલ મીડિયામાં ભરપૂર વખાણ કરીને ટ્વિટર ઉપર પોસ્ટ મુકી છે.
ક્રિકેટના ભગવાન ગણતા સચિન તેડુલકરને ‘ગોડ જી’ પણ કહેવામાં આવે છે. ત્યારે આ વખતે વીરેંદ્ર સહવાગે માસ્ટર બ્લાસ્ટરને ‘રામ’ ગણાવ્યા છે. જ્યારે પોતાને ‘ગદાધારી હનુમાન’ ગણાવ્યા. સહવાગે સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તે સચિન તેંડુલકર સાથે જોવા મળે છે. જણાવી દઈએ કે સહવાગ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે.
સહવાગે ઈન્સ્ટાગ્રામ પર મૂકેલી તસવીર સાથે લખ્યું કે, ‘જ્યારે ભગવાન સાથે હોય તો તેમના ચરણોમાં બેસી જવું સારું છે.’ સાથે આ તસવીરમાં તેમણે સચિન તેંડુલકરને પણ ટેગ કર્યા છે.
તસવીરમાં સહવાગના હાથમાં ગદા છે જ્યારે સચિનના હાથમાં ચાનો કપ છે. જણાવી દઈએ કે આ જોડીએ ક્રિકેટમાં ભારતને ઘણું અપાવ્યું છે. સચિન અને સહવાગે 93 વન ડેમાં ઓપનિંગ કરી છે. આ દરમિયાન તેમણે 42.13ની રન રેટથી 3919 રન ફટકાર્યા છે. જેમાં 12 સદી અને 18 અડધી સદી સામેલ છે. રેકોર્ડ પર નજર કરીએ તો ઈંટરનેશનલ વન ડે ક્રિકેટમાં આ ચોથી શ્રેષ્ઠ ઓપનિંગ જોડી છે.