ખેલ-જગત
News of Saturday, 8th December 2018

આઈપીએલની હરાજી પહેલા જ યુવરાજ સિંહે કર્યો ચોક્કા-છગ્ગાનો વરસાદ

નવી દિલ્હી: ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહ લાંબા સમયથી ટીમથી બહાર છે યુવરાજ સિંહના ખરાબ પ્રદર્શનના લીધે તેને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે તેવું સૂત્રોનું કહેવું હતું પણ વિજય હજારે ટ્રોફીમાં યુવરાજે શાનદાર પ્રદર્શન કરીને ફરી એકવાર તેના ફેન્સને ખુશ કરી દીધા છે. આ પ્રદર્શન જોતા એવું લાગી રહ્યું છે ફરીથી યુવરાજ સિંહ ટીમ ઇન્ડિયામાં વાપસી કરીને પોતાનું સારું પ્રદર્શન કરી બતાવશે. યુવરાજે પંજાબ તરફથી રમીને 121 બોલમાં 97 રન બનાવ્યા અને તેમાં તેને  6 ચોક્કા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. યુવરાજ સિંહને આ મેચમાં 'મેન ઓફ ધ મેચ ' પસંદ કરવામાં આવ્યો હતો.

(5:30 pm IST)