News of Monday, 8th October 2018
IPL સ્પર્ધામાં સટ્ટાખોરીને કાયદેસર બનાવવી જોઈએ:પ્રીતિ ઝીન્ટા
સરકારને નવું આવકનું સાધન ઉભું થાય અને ભ્રષ્ટાચારને રોકવામાં મદદ મળશે
મુંબઈ :બોલીવૂડ અભિનેત્રી અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્રિકેટ સ્પર્ધામાં કિંગ્સ ઈલેવન પંજાબ ટીમની સહ-માલિકણ પ્રીતિ ઝીન્ટાએ કહ્યું છે કે સરકારે આ સ્પર્ધામાં સટ્ટાખોરી (Betting)ને કાયદેસર કરી દેવી જોઈએ.
પ્રીતિએ વધુમાં કહ્યું છે કે બેટીંગને કાયદેસર કરી દેવાથી સરકાર માટે આવકનું નવું સાધન પણ ઊભું થશે. આ સ્પર્ધામાં છવાયેલા ભ્રષ્ટાચારને રોકવામાં સરકારને મદદ પણ મળશે.
(1:16 pm IST)