શ્રીલંકન બોર્ડે તેના ત્રણેય ખેલાડી ઉપરથી પ્રતિબંધ ઉઠાવી લીધો
ઇંગ્લેન્ડ પ્રવાસમાં બાયોબબલનું ઉલ્લંઘન કર્યું હતું
નવી દિલ્હીઃ ગુણાતીલાકા, કુસલ મેન્ડિસ અને નિરોશન ડિકવેલાને મોટી રાહત આપતાં, શ્રીલંકા ક્રિકેટબોર્ડેએ એક વર્ષનો પ્રતિબંધ હટાવી લીધો છે. આ ત્રણેય ખેલાડીઓ પર ગત વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો જે હવે હટાવી લેવામાં આવ્યો છે. આ ત્રણેય ખેલાડીઓ ગયા વર્ષે શ્રીલંકાની ટીમના ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ડરહામમાં બાયો-બબલનું ઉલ્લંઘન કરવા બદલ દોષીત સાબિત થયા હતા. ત્રણેય ખેલાડીઓ નિર્ધારિત સમય બાદ ટીમ હોટલની બહાર રસ્તા પર ફરતા જોવા મળ્યા હતા. શ્રીલંકાના બોર્ડે તાત્કાલિક પગલાં લીધાં અને તેને મધ્ય શ્રેણીમાંથી પરત કર્યો અને તપાસ બાદ તેના પર એક વર્ષ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને છ મહિના માટે સ્થાનિક ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો હતો.
ત્રણેય ખેલાડીઓએ બોર્ડને તેનો અંત લાવવા વિનંતી કરી હતી, જેને શ્રીલંકાના બોર્ડે સ્વીકારી લીધી છે. જો કે, ત્રણેય પર બાકીનો છ મહિનાનો પ્રતિબંધ આગામી બે વર્ષ માટે સ્થગિત રહેશે. એટલે કે આગામી બે વર્ષમાં જો તેઓ ફરીથી કોઈ ભૂલ કરશે તો ૬ મહિનાનો આ પ્રતિબંધ લાગુ થશે.