ખેલ-જગત
News of Thursday, 6th December 2018

આવતા જન્મમાં પણ હું ક્રિકેટર બનીશ : ગંભીર

૨૦૦૯માં નેપિયર ટેસ્ટમાં ૧૧ કલાક સુધી ક્રીઝ પર રહીને ટેસ્ટ સફળતાપૂર્વક ડ્રો કરાવનાર ભારતના ભૂતપૂર્વ ઓપનીંગ બેટ્સમેન ગૌતમ ગંભીરે ટ્વીટર પર શેર કરેલા એક વિડીયોમાં કહ્યું હતું કે, હું આવતા જન્મમાં પણ ક્રિકેટ રમવા ઈચ્છું છું અને ભારત વતી સેન્ચુરીઓ ફટકારીને વધુ જીત મેળવવા ઈચ્છીશ.

૨૦૧૧માં વર્લ્ડકપ ફાઈનલમાં ગૌતમ ગંભીરે નાજુક સમયે ભવ્ય ૯૭ રન બનાવીને ભારતને ફાઈનલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આ વર્ષે દિલ્હી ડેરડેવિલ્સના ખેલાડીઓ સાથે આઈ ડોનેશનની શપથ પણ લીધી હતી. તેના રાજકારણમાં જોડાવા વિશે પણ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મેં મારા ભવિષ્ય વિશે કંઈ વિચાર્યુ નથી, પરંતુ તક મળે તો દેશસેવા કરવી જોઈએ, તેમજ રાજકારણમાં જોડાવવું જોઈએ.(૩૭.૭)

 

(4:03 pm IST)