ત્રીજી ટેસ્ટમાં પૃથ્વી કરશે વાપસી?
ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે યુવા ઓપનર પૃથ્વી શો પગની ઘૂંટીમાં થયેલી ઈજામાંથી સારો થઈ રહ્યો છે અને મેલબર્નમાં થનારી બોકિસંગ ડે ટેસ્ટ મેચમાં વાપસી કરે એવી શકયતા છે. મુંબઈનો ૧૯ વર્ષનો બેટ્સમેન ઓસ્ટ્રેલિયા ઈલેવન સામેની સીડનીમાં પ્રેકટીસ મેચ દરમિયાન ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડતી વખતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ હોવાથી તે પહેલી ટેસ્ટ નહિં રમી શકે. ત્રીજી બોકસીંગ ડે ટેસ્ટ ૨૬ થી ૩૦ ડિસેમ્બર વચ્ચે મેલર્બનમાં રમાશે.
શાસ્ત્રીએ કહ્યું હતું કે પૃથ્વી આ રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો એ દુઃખદ છે, પરંતુ સારી વાત એ છે કે તેની હાલતમાં ઘણી ઝડપથી સુધારો થઈ રહ્યો છે. તેણે ચાલવાનું શરૂ કરી દીધુ છે. સપ્તાહના અંત સુધીમાં દોડવાનું શરૂ કરી દેશે. તે યુવા ખેલાડી છે. ઝડપથી ફીટ થઈ શકે છે. અમે પર્થ ટેસ્ટ દરમિયાન તેના વિશે નિર્ણય લઈશું.