વેસ્ટઇંડીજ સામે ટ્વિટ કરવું ભજ્જીને પડ્યું ભારે
નવી દિલ્હી: ભારતના પ્રવાસે આવેલી વીન્ડીઝ ટીમની પહેલી ટેસ્ટ મેચમાં ખરાબ પ્રદર્શન બાદ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે કટાક્ષ કરી છે. પરંતુ ટ્વીટર પર તેને કેટલાક યુઝર્સે જવાબ આપ્યા છે. ટીમ ઇન્ડિયાએ પહેલા દાવમાં 9 વિકેટ પર 649 રન બનાવ્યા. ત્યાર બાદ બીજા દિવસે રમત સમાપ્ત થવા પર વેસ્ટી ઇન્ડીઝે 6 વિકેટ ખોઇને 94 રન બનાવ્યા. રાજકોટમાં રમાતી આ ટેસ્ટ મેચને લઇને હરભજનસિંહે કહ્યું, વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટને પૂરા સમ્માનની સાથે, એક સવાલ પુછવા માંગુ છું કે, શુ આ રીતાન પ્રદર્શનથી ટીમ પ્લેટ ગ્રુપથી રણજી ક્વાર્ટર માટે ક્વોલિફાઇ કરી શકશે?એલીટથી તો નહીં થાય, હરભદન ભારત માટે 103 ટેસ્ટ મેચમાં 417 વિકેટ લઇ ચૂક્યા છે.જેની પર ક્રિકેટ ફેન્સે અલગ-અલગ જવાબ આપ્યા. જ્યાં કેટલાક લોકો તેનાથી સહમત નજરે પડ્યા તો કેટલાક યુઝર્સે સામે સવાલ કરી દીધા. એક યુઝર્સે તો લખ્યું કે એક મહિના પહેલા ભારકીય ટીમનો પણ હાલ હતો. ઇંગ્લેન્ડમાં, તો કોઇનો મજાક કેમ કરવામાં આવે. જ્યારે દરેક ટીમ પોત-પોતાના દેશમાં સારુ રમે છે. તો જુઓ કેટલીક ટ્વીટ્સ…ઇંગલેન્ડની મેજબાનીમાં ટેસ્ટ સીરીઝને ભારત 1-4ના અંતરથી હારી ગઇ હતી. વિરોટ કોહલીએ ફરી એશિયા કપમાં કેપ્ટન પદ સંભાળ્યું. રોહિત શર્માના કેપ્ટન પદમાં હાલમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને હરાવીને 7મી વખત એશિયા કપ જીત્યો.