ધોનીએ મારામાં વિશ્વાસ જગાવ્યો, ટીમ ઈન્ડિયામાં સામેલ થવાનો કોઈ શોર્ટકટ નથીઃ દીપક ચહર
નવી દિલ્હી: ભારતના જમણા હાથના ઝડપી બોલર દીપક ચહરે પોતાની ક્રિકેટ કારકિર્દીના પ્રદર્શનનો શ્રેય પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સલાહને આપ્યો છે. ચહર ઈજાને કારણે IPL 2022 ની સિઝન ચૂકી ગયો હતો અને 8 ઓગસ્ટે એશિયા કપની ટીમની જાહેરાત થયા બાદ તે ભારત પરત ફરવા માટે તૈયાર છે. તેણે કહ્યું, "માહી ભાઈએ મને ઘણી સલાહ આપી છે. જ્યારે હું પહેલીવાર CSK માટે રમ્યો હતો, ત્યારે ધોનીએ મને જે આત્મવિશ્વાસ આપ્યો હતો તે મારા પ્રદર્શનમાં પ્રતિબિંબિત થાય છે. જો તે તમારામાં વિશ્વાસ રાખે છે, તો તમારે તમારામાં વિશ્વાસ કરવો પડશે. CSK માટે રમીને મને જે આત્મવિશ્વાસ મળ્યો તે ખૂબ જ મોટો હતો. તેણે મારી કારકિર્દી બદલી નાખી. માહી ભાઈએ મને જે વિશ્વાસ અને આત્મવિશ્વાસ આપ્યો તે શ્રેષ્ઠ હતો."