મેચના છેલ્લા દિવસે બોલરોને પિચમાંથી ટર્ન મળતો ન હતો, સ્પિનરને પણ મદદ મળી ન હતી
અશ્વિન જેવા ખેલાડીને ટીમની બહાર રાખવો સરળ નથીઃ દ્રવિડ
નવી દિલ્હી : અશ્વિન જેવા ખેલાડીને ટેસ્ટ મેચમાંથી બહાર રાખવો સરળ નથી. મને લાગે છે કે જયારે અમે પહેલા દિવસે વિકેટ જોઇ ત્યારે તેના પરનું ઘાસ ખૂબજ સરસ હતું અને અમને લાગ્યુ કે તે ઝડપી બોલરોને ઘણી મદદ કરહે. મને લાગે છે કે છેલ્લા દિવસે પણ વિકેટ ખરેખર ટર્ન થઇ ન હતી, પછી તે જેક લીચની હોય કે રવિન્દ્ર જાડેજાની, હવામાને મહત્વની ભૂમિકા ભજવી હતી. ધારણા મુજબ બોલ સ્પિન થતો ન હતો.પ્રથમ ત્રણ દિવસમાં હવામાને મહત્વની ભૂમિકા ભજવી હતી. લાંબા સમય સુધી સૂર્ય પ્રકાશ જોવા મળ્યો ન હતો. જેથી તૂટતી ન હતી જેટલી હોવી જોઇએ. ધાર્યા પ્રમાણે સ્પિન મળ્યો નથી.
આ મેચમાં અશ્વિનની જગ્યાએ રવિન્દ્ર જાડેજાને તક આપવામાં આવી હતી. તેણે બેટીંગતો સારી કરી હતી પણ બોલીંગમાં કંઇ ખાસ પ્રદર્શન કરી શકયો ન હતો જો અશ્વિનને તક મળી હોત તો તે બોલીંગમાં ચમત્કાર સર્જી શકયો હોત. તેવો ચાહકોએ મત દર્શાવ્યો હતો.