અનુષ્કા શર્મા અને શિખરની પત્ની વચ્ચે તું તું મેં મેં...
નવી દિલ્હી: ઇંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ ગુમાવ્યા બદા આવેલ ટીમ ઇન્ડિયા ઘરેલૂ મેદાન પર વેસ્ટઇન્ડિઝનો સામનો કરી રહી છે. ગત ઘણા દિવસોથી એવી ખબરો સામે આવી રહી છે કે, ટીમ ઇન્ડિયામાં બધુ યોગ્ય નથી ચાલી રહ્યું, ક્યારેક કોચ-કેપ્ટનનો વિવાદ, કેપ્ટનશીપને લઇ વિવાદ અને ક્યારેક ટીમમાં ખેલાડીઓની પસંદગીને લઇ વિવાદે જોર પકડ્યુ છે.એક અગ્રણી સમાચાર પત્રના અહેવાલ અનુસાર, ટીમના ઘણા સીનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને ટીમ મેનેજમેન્ટને લઇ નાખુશ છે. પહેલા રોહિત શર્માનું ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર વિરાટ કોહલીને અનફોલો કરવું અને હવે શિખર ધવનનું ટીમમાંથી બહાર થઇ જવું વિવાદના મધપુડાને છંછેડી દીધો છે. સમાચાર પત્રએ દાવો કર્યો છે કે, ઇંગ્લેન્ડ પ્રવાસ પર વિરાટની પત્ની અનુષ્કા શર્મા અને શિખર ધવનની પત્ની આયેશા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેના કારણે શિખરના ટીમથી બહાર થવાના કયાસ લગાવવામાં આવી રહ્યા છે. જોકે, ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝથી અલગ એશિયા કપમાં શિખનું પરફોર્મંસ ખુબ જ સારૂ રહ્યું. નોંધવા જેવી વાત એ છે કે, એશિયા કપમાં વિરાટ કોહલી રમ્યો ન હતો. તમને જણાવી દઇએ કે, વેસ્ટઇન્ડિઝ સિરીઝમાં પૃથ્વી શોને શિખર ધવનનાં સ્થાને ટીમ ઇન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવા છતા ધવનને વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ટેસ્ટ સિરીઝમાંથી બહાર કરવામાં આવ્યો છે. ધવનને બહાર કરવાનું કારણ અનુષ્કા અને તેની પત્નીઆયશા વચ્ચે ઝઘડો થયો હોવાનું કહેવામાં આવે છે.મહત્વપૂર્ણ છે કે કોહલી અને ધવનની જેમ અનુષ્કા અને આયશા પણ સારા મિત્ર છે પરંતુ કેટલાક દિવસથી આ બન્ને વચ્ચે ઝઘડો થયો છે, જેને કારણે ધવનને ટીમની બહાર કરવામાં આવ્યો છે.