ખેલ-જગત
News of Friday, 5th January 2018

શ્રીલંકા વન ડે ટીમના કેપ્ટન તરીકે થિસારા પરેરાની હકાલપટ્ટી

નવી દિલ્હી: શ્રીલંકાની વન ડે ટીમના કેપ્ટન તરીકે થિસારા પરેરાની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. થિસારાને નવેમ્બરમાં વન ડે ટીમનુ સુકાન સોંપવામાં આવ્યું હતુ અને માત્ર બે મહિનામાં તેને પાકિસ્તાન સામે અને ત્યાર બાદ ભારત પ્રવાસમાં ટીમની ઘોર નિષ્ફળતા બાદ કેપ્ટન તરીકે પડતો મૂકવામાં આવ્યો છે. શ્રીલંકાએ જાહેરાત કરી છે કે , તેઓ કેપ્ટન તરીકે ફરી એંજેલો મેથ્યૂસ કે ચાંદીમલને જવાબદારી સોંપવાનું વિચારી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શ્રીલંકાના ક્રિકેટની નાલેશીભરી પડતી થઈ છે. ગત વર્ષે ઝિમ્બાબ્વે સામે શ્રેણી ગુમાવ્યા બાદ શ્રીલંકાના કેપ્ટન તરીકે મેથ્યૂસે રાજીનામું આપી દીધું હતુ. પછી શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે ચાંદીમલને ટેસ્ટનો અને થારંગાને મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે વન ડે અને ટી-૨૦માં શ્રીલંકાનો દેખાવ નાલેશીભર્યો રહ્યો હતો. કારણે થારંગાને પડતો મૂકીને જવાબદારી થિસારા પરેરાને સોંપવામાં આવી હતી. પરેરા પણ નિષ્ફળ જતાં ફરી શ્રીલંકન ક્રિકેટે મેથ્યૂસ-ચાંદીમલ તરફ મીટ માંડી છે.

(5:53 pm IST)