રણજી ટ્રોફીમાં મુંબઈનો કેપ્ટન બન્યો સૂર્યકુમાર યાદવઃ વા.કેપ્ટન આદિત્ય તરે
મુંબઈ : શનિવારે પૂરી થયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં બેટ્સમેન તેમજ કેપ્ટન તરીકેના શાનદાર પર્ફોર્મન્સને આધારે મંુબઈ સિલેકટરોએ રણજી ટ્રોફી માટે ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપી હતી. વિકેટકીપર બેટ્સમેન આદિત્ય તરેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ૪૧ વખતનું ચેમ્પિયન મુંબઈ તેની પહેલી મેચ નવમી ડિસેમ્બરથી બરોડા સામે રમશે. મુંબઈ ટીમમાં ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન અજિંકય રહાણે ઉપરાંત આઠ મહિનાના બેન પછી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર કમબેક કરનાર પૃથ્વી શો તેમજ ઉત્તરપ્રદેશ છોડીને ફરી મુંબઈ પાછા ફરેલા સરફરાઝ ખાનનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગઈ સીઝનમાં મુંબઇનો રેગ્યુલર શ્રેયસ અય્યર ટીમ ઈન્ડિયા સાથે વ્યસ્ત હોવાથી પેસ બોલર ધવલ કુલકર્ણીને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
રણજી માટે મુંબઈની ટીમ : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), આદિત્ય તરે (વિકેટકીપર - વાઈસ કેપ્ટન), અજિંકય રહાણે, પૃથ્વી શો, જય બિસ્તા, શુભમ રાંજણે, આકાશ પારકર, સરફરાઝ ખાન, શેમ્સ મુલાણી, વિનાયક ભોઈર, શશાંક અતાર્ડે, શાર્દૂલ ઠાકુર, તુષાર દેશપાંડે, ધવલ કુલકર્ણી અને એકનાથ કેરકર.