આઇપીઅેલમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો વિજય થતા મહેન્દ્ર સિંહ ધોની ઝારખંડમાં દેવડી સ્થિત દુર્ગા માતાજીના મંદિરના દર્શને
નવી દિલ્હીઃ આઇપીઅેલ મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સનો વિજય થયા બાદ ધોનીએ ઝારખંડમાં દેવડી સ્થિત દુર્ગા માતાના મંદિરમાં દર્શન કર્યા. આ મંદિરમાં ધોની સ્કૂલમાં ભણતો હતો ત્યારથી દર્શન કરવા આવે છે. ઘણી મહત્વની મેચ પહેલાં ધોની અચૂક આ મંદિરે દર્શન કરવા જાય છે.
મંદિરમાં દર વખતની જેમ ધોનીને જોવા માટે ભીડ જમા થઈ હતી. ફેન્સ ધોનીની એક ઝલક મેળવવા માટે આતુર હતા. જો કે સુરક્ષાના કારણોસર ધોની આ મંદિરમાં વધારે રોકાયો નહોતો. ધોની પોતે કાર ચલાવીને 70 કિલોમીટર દૂર આ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. રાંચી-ટાટા હાઈવે પર આવેલું આ મંદિર ધોનીની શ્રદ્ધાને કારણે દેશભરમાં પ્રખ્યાત થયું છે.
આ વખતની IPL ધોની માટે એક કેપ્ટન તરીકે અને ખેલાડી તરીકે સારી રહી હતી. 16 મેચમાં ધોનીએ 455 રન ફટકાર્યા હતા. IPLની કોઈપણ સિઝનમાં ધોનીએ અત્યાર સુધી આટલા રન નથી બનાવ્યા. 78.83ની રનરેટથી બેટિંગ કરીને ધોનીએ 3 અર્ધશતક પણ બનાવ્યા હતા.