ખેલ-જગત
News of Thursday, 2nd December 2021

લેગ સ્પિનરો ટેસ્ટ ક્રિકેટ રમતા નથી,જેનું મને દુઃખ છેઃ શિવરામકૃષ્ણ

માત્ર વ્હાઈટ બોલના મેચો રમી ખુશી અનુભવે છે

નવીદિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ લેગ- સ્પિનર એલ. શિવરામકૃષ્ણને કહ્યું કે 'અત્યારે ક્રિકેટ જગતમાં જેટલા પણ લેગ- સ્પિનરો છે એમાંથી ભાગ્યે જ કોઈ સ્પિનરને ટેસ્ટ ક્રિકેટમાં રમવાની મહેચ્છા હોય છે.'

શેન વોર્ન એન અનિલ કુંબલે જેવા લેજન્ડરી લેગ- સ્પિનરોની નિવૃતિ પછી લાંબા સમય સુધી ટેસ્ટમાં ઊંડી છાપ પાડી શકે એવો કોઈ લેગ- સ્પિનર નથી જોવા મળ્યો.

શિવા તરીકે ઓળખાતા શિવરામકૃષ્ણને એવું પણ કહ્યું હતું કે 'હવે તો મોટા ભાગના લેગ- સ્પિનરો વાઈટ બોલની મેચોમાં (મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં) જ રમીને ખુશ હોય છે. આ જોઈને મને ખૂબ દુઃખ થઈ રહ્યું છે.'

(3:34 pm IST)