વ્યક્તિગત વર્લ્ડ કપમાં ભારતનું નેતૃત્વ કરશે 24 પહેલવાન
નવી દિલ્હી: સર્બીયાના બેલગ્રેડમાં 12 થી 18 ડિસેમ્બર દરમિયાન યોજાનારા વ્યક્તિગત વર્લ્ડ કપમાં રવિ કુમાર, દિપક પુનિયા અને સાક્ષી મલિક સહિત 24 કુસ્તીબાજો ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ગુરુવારે આ માહિતી આપતાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (SAI) એ કહ્યું કે ઓ૨ સભ્યોની ભારતીય ટીમમાં 24 કુસ્તીબાજો, નવ કોચ અને ત્રણ સપોર્ટ સ્ટાફ અને ત્રણ રેફરી હશે.આ પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા હશે જેમાં માર્ચ મહિનામાં કોરોના વાયરસને કારણે લોકડાઉન લાગુ થયા બાદ ભારતીય રેસલર્સ ભાગ લેશે. સાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સરકારે આ ટુર્નામેન્ટમાં ભારતીય કુસ્તીબાજોની ભાગીદારીને મંજૂરી આપી દીધી છે અને તેની હવાઈ ટિકિટ, બોર્ડિંગ, લોર્ડિગ, યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યુડબ્લ્યુ) લાઇસન્સ સહિત લગભગ 90 લાખ રૂપિયા ખર્ચ થશે. ફી, વિઝા ફી અને ખેલાડીઓ, કોચ અને રેફરીનો ખર્ચ શામેલ છે. "