તમિલનાડુ રણજી ટીમનો સુકાની બન્યો વિજય શંકર
નવી દિલ્હી:રણજી ટ્રોફી માટે ઓલરાઉન્ડર વિજય શંકરને તમિળનાડુ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. બાબા અપરાજિતને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. સોમવારે તમિળનાડુ ક્રિકેટ એસોસિએશનની રાજ્ય પસંદગી સમિતિ દ્વારા ટીમની ઘોષણા કરવામાં આવી હતી. રણજી ટ્રોફી 9 ડિસેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમના સ્ટાર સ્પિનર આર.એમ. અશ્વિન અને ઇન-ફોર્મ ટેસ્ટ બેટ્સમેન મુરલી વિજયનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.તમિળનાડુની ટીમ નીચે મુજબ છે: વિજય શંકર (કેપ્ટન), બાબા અપરાજિત, ડેપ્યુટી કેપ્ટન, મુરલી વિજય, અભિનવ મુકુંદ, દિનેશ કાર્તિક, એન. જગદિશન, આર. અશ્વિન, આર. સાંઇ કિશોર, ટી.નટરાજન, કે. વિગ્નેસ, અભિષેક તંવર, એમ. અશ્વિન, એમ. સિદ્ધાર્થ, શાહરૂખ ખાન અને કે. મુકુંઠ. પ્રારંભિક 2 રણજી મેચ માટે કર્ણાટક અને હિમાચલ પ્રદેશ સામેની ટીમની ઘોષણા કરવામાં આવી છે. હાલમાં તમિલનાડુની ટીમ સારી લયમાં છે. તેણે આ વર્ષે વિજય હઝારે ટ્રોફી (50 ઓવર) અને સૈયદ મુસ્તાક અલી ટી 20 ટૂર્નામેન્ટની ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.