News of Monday, 3rd May 2021
પૂર્વ સિલેકટર કોરોના સામે જંગ હાર્યાઃ કિશન રૃંગટાનું નિધન
નવી દિલ્હી તા. ૩: ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ) ના ભૂતપૂર્વ સિલેકટર અને રાજસ્થાન ટીમના કેપ્ટન કિશન રૃંગટાનું જયપુરમાં કોરોનાને લીધે ગઇ કાલે નિધન થયું હતું. તેઓ ૮૮ વર્ષના હતા. ગયા અઠવાડિયે તેઓ કોરોના-પોઝિટિવ આવ્યા હતા.
બીસીસીઆઇના અધિકારીએ તેમના નિધનની પુષ્ટિ કરીને શોક પ્રગટ કર્યો હતો. ૧૯પ૩ થી ૧૯૭૩ સુધી તેઓ પ૯ ફર્સ્ટ કલાસ મેચ રમ્યા છે, જેમાં ર૭૧૭ રન બનાવ્યા છે.
(3:30 pm IST)