રાહુલ અને આથિયા શેટ્ટી જાન્યુઆરીમાં લગ્ન કરશેઃ બીસીસીઆઇએ રજા મંજૂર કરી
નવી દિલ્હીઃ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે શ્રેણીની શરૂઆત ૪ ડિસેમ્બરથી થઇ રહી છે. આ માટે ભારતીય ટીમ બાંગ્લાદેશ પહોંચીને તૈયારીઅ પણ શરૂ કરી દીધી છે. વન ડે શ્રેણી બાદ બંને દેશો વચ્ચે બે ટેસ્ટ મેચો રમાનારી છે. બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફર્યા બાદ કેએલ રાહુલ રજાઓ પર ઉતરનારો છે. તેના માટે આ રજાઓ ખાસ છે. કારણ કે તે રજાઓ તેણે આથિયા શેટ્ટી સાથેના લગ્ન માટે મેળવી હોવાના મીડિયા અહેવાલ સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે પણ અનુભવી ખેલાડીની રજાઓને મંજૂર કરી દીધી છે.
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીના લગ્નનુ આયોજન આગામી જાન્યુઆરી માસમાં કરવાામાં આવી રહ્યુ હોવાના અહેવાલ છે. આ માટે કેએલ રાહુલ બાંગ્લાદેશ પ્રવાસથી પરત ફરતા જ રજાઓ પર ઉતરશે. મીડિયા અહેવાલોનુસાર આગામી વર્ષે જાન્યુઆરીમાં ભારતીય ક્રિકેટ ટીમના ઉપકપ્તાન જીવનના નવા તબક્કાની સફર શરુ કરશે.
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી બંને વચ્ચે કેટલાક સમયથી રિલેશનશીપ હતી અને હવે બંને લગ્નના બંધને બંધાવવા જઇ રહ્યા છે. જોકે આ માટે સત્તાવાર રીતે કોઇ તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ જાન્યુઆરી માસના પ્રથમ સપ્તાહ દરમ્યાન બંને લગ્ન સંબંધથી જોડાઇ શકે છે.