ડોક્ટરની સલાહ માટે ઇંગ્લેન્ડ જશે જસપ્રીત બુમરાહ : બીસીસીઆઈ
નવી દિલ્હી: જમણા હાથના યુવા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, પીઠની નીચેની ઇજા અંગે નિષ્ણાંત ડોકટરોની સલાહ લેવા ઇંગ્લેન્ડ જશે. ઈજાના કારણે બુમરાહ પહેલાથી જ દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.બીસીસીઆઈના કાર્યકારીએ આઈએએનએસ સાથે વાતચીત કરતાં પુષ્ટિ આપી હતી કે બુમરાહ ડોકટરોની સલાહ લેવા ઇંગ્લેન્ડમાં એક અઠવાડિયા રોકાશે. તેણે કહ્યું, હા, તે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં ઇંગ્લેન્ડ જશે અને આશિષ કૌશિક પણ તેની સાથે રહેશે. ત્રણ ડોકટરો તેની ઈજાની તપાસ કરશે અને તે પછી જ તેના વિશે કોઈ નિર્ણય લેવામાં આવશે.બુધવારથી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝમાં ભારત સામે ટકરાશે ત્યારે દક્ષિણ આફ્રિકાની ટીમ રાહતનો શ્વાસ લેશે કારણ કે વિશ્વનો નંબર 1 બોલર બુમરાહ હાલમાં ભારતીય ટીમમાં નથી. ઈજાના કારણે બુમરાહ આ શ્રેણીમાં રમી રહ્યો નથી.