ખેલ-જગત
News of Wednesday, 1st July 2020

રોહિત મારો ગ્રેટેસ્ટ ઓલટાઈમ વન-ડે ઓપનરઃ શ્રીકાંત

આ ક્રિકેટર સદી બાદ ડબલ સેન્ચ્યુરી ઝડપથી ફટકારી શકે છે

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ પ્લેયર કૃષ્ણમાચારી શ્રીકાન્ત રોહિતના પર્ફોર્મન્સ પર ફિદા છે. તેમણે કહ્યું કે વિશ્વ ક્રિકેટમાં રોહિત શર્માને હું ગ્રેટેસ્ટ ઓલટાઈમ વનડે ઓપનર તરીકે જોઉં છું. રોહિત શર્મા સારી કવોલિટીએ છે કે તે મોટી સેન્ચુરી અને ડબલ હન્ડ્રેડ સુધી રહેવાનો પ્રયાસ કરે છે.

તેની આ વાત સૌથી સારી  છે. તમે વિચારી શકો છો કે વન-ડે ક્રિકેટમાં તમે ૧૫૦, ૧૮૦, ૨૦૦રન કરીને તેમને કયાં પહોંચાડી શકો છો. રોહિતમાંએ ક્ષમતા છે. જયાં સુધી વિશ્વના ક્રિકેટ ઈતિહાસમાં ગ્રેટેસ્ટ ઓલટાઈમ વન-ડે ઓપનરની વાત આવે તો રોહિતનું સ્થાન ટોપ-૩ થી ૫માં ચોકકસ આવે.

(2:57 pm IST)