ખેલ-જગત
News of Wednesday, 1st April 2020

કોરોના લોકોને કંગાળ કરીને છોડશે : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની પ્રતિક્રિયા

લાહોર, તા. ૧ :  પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું માનવું છે કે સમગ્ર વિશ્વ આ સમય કોરોના વાયરસની ચપેટમાં છે અને આનાથી લોકો કંગાળ થવાની કગાર પર છે. અખ્તરએ ટવિટ કરી કહ્યું આ મહામારી જેટલા લોકોને મારશે નહિ એનાથી વધારે એને કંગાળ કરીને છોડશે.

અખ્તરએ આ પહેલા આ બિમારી વિરૂધ્ધ લોકોને જાતિ ધર્મ ઉપર ઉઠીને લોકોને મદદ કરવા કહ્યું હતું. તેમણે આગળ કહ્યું એક વૈશ્વિક કાર્યબળના રૂપમાં કામ કરે અને પ્રશાસન દ્વારા જારી દિશા-નિર્દેશોનું પાલન કરે.

(8:23 pm IST)