ખેલ-જગત
News of Monday, 1st March 2021

પ્રેક્ષકોને નો- એન્ટ્રી

પુણેમાં રમાનારી વન-ડે સિરીઝમાં

પુણેઃ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ અને પાંચ ટી૨૦ મેચની સિરીઝ બાદ ત્રણ વન-ડે મૅચની સિરીઝ પુણેના એમસીએ સ્ટેડિયમમાં ૨૩, ૨૬ અને ૨૮ માર્ચે રમાવાની છે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને આ સિરીઝ ખાલી સ્ટેડિયમમાં રમાડવાનો નિર્ણય મહારાષ્ટ્ર ક્રિકેટ અસોસિએશન (એમસીએ) દ્વારા લેવામાં આવ્યો છે.

(4:30 pm IST)