Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોના ઇફેકટઃ વિજય મર્ચન્ટ અન્ડર-૧૬ ટુર્નામેન્ટ સ્થગીત

દેહરાદુનમાં રમાનાર હતી આ ટુર્નામેન્ટ

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના નવા કેસોમાં જબરદસ્ત ઉછાળો આવતા ફરી એકવાર રમતગમતને પણ અસર થવા લાગી છે. કોરોનાના નવા ખતરાને જોતા બીસીસીઆઇએ વિજય મર્ચન્ટ અંડર-૧૬ ટૂર્નામેન્ટ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. આ ટુર્નામેન્ટ ૯ જાન્યુઆરીથી દેહરાદૂનમાં રમાવવાની હતી.  તમામ ટીમોને ટુર્નામેન્ટની શરૂઆત પહેલા દહેરાદૂન પહોંચી જવા માટે કહેવામાં આવ્યું હતું. ઈન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ, બીસીસીઆઈના સચિવ જય શાહે  તમામ એસોસિએશનોને એક ઈમેલ મોકલીને જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ક્રિકેટની શરૂઆત સારી રહી હતી અને અત્યાર સુધીમાં ૭૪૮ મેચ પૂર્ણ થઈ છે.  જો કે, કોરોના વાયરસના નવા કેસોમાં અચાનક ઉછાળાને કારણે જુનિયર ટૂર્નામેન્ટ્સ સ્થગિત કરવાની ફરજ પડી છે.    જો કે અમે સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા હોવાનું જણાવેલ.

(3:03 pm IST)