Gujarati News

Gujarati News

News of Saturday, 18th August 2018

સ્વ. અજિત વાડેકરની અંતિમ યાત્રામાં ઉમટ્યા પૂર્વ ક્રિકેટરો

નવી દિલ્હી: ભારતના લેજન્ડરી કેપ્ટન સ્વ. અજિત વાડેકરની અંતિમ યાત્રામાં લેજન્ડરી ક્રિકેટર સચિન તેંડુલકર, સંદીપ પાટિલ, વિનોદ કામ્બલી, સમીર દિઘે, સબા કરીમ, નિલેશ કુલકર્ણી, પદ્માકર શિવાલકર જોડાયા હતા. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોની સાથે સાથે રાજનેતાઓ અને અન્ય ક્ષેત્રોના અગ્રણીઓ મિત્રો-સ્નેહીઓએ પણ વાડેકરના અંતિમ દર્શન કર્યા હતા. તેમની અંતિમ ક્રિયા શિવાજી પાર્ક ખાતે કરવામાં આવી હતી. વાડેકરને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો હતો અને મુંબઈ પોલીસે તેમને સલામી આપી હતી.

(5:02 pm IST)