Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચશે જ, વિરાટ જીતની ચાવી : ગંભીર

પૂર્વ ભારતીય ક્રિકેટર અને હાલમાં લોકસભા ચૂંટણી જીતીને સાંસદ બનેલા ગૌતમ ગંભીરે વિરાટ કોગલીને ભારતીય ટીમની જીતની ચાવી ગણાવી છે. કોહલીએ પહેલી વાર વન-ડે વિશ્વ કપમાં ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. ઇંગ્લેન્ડમાં આયોજિત આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું પ્રદર્શન કેવું રહેશે તે વિરાટ કોહલીના ફોર્મ પર નિર્ભર રહેશે.એક કોલમમાં ગૌતમ ગંભીરે લખ્યું છે, ભારત મારી ચાર સેમી ફાઇનલમાંથી એક છે, પરંતુ આવું થવા માટે વિરાટ કોહલીની તીવ્રતા એ ચાવી છે.

પૂર્વ ક્રિકેટરે વધુમાં લખ્યું કે, મારી બાકીની સેમીફાઇનલની ટીમો ઓસ્ટ્રિલયા, ઇંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ગૌતમ ગંભીરે ભારતીય ટીમમાં એક ફાસ્ટ બોલરની ઉણપ હોવાની વાત કહી હતી અને ટીમના સંતુલનમાં આ એક સમસ્યા રહેશે તેવી સંભાવના દર્શાવી હતી. ગંભીરે આ પહેલા ટી-૨૦ અને ૨૦૧૧ વર્લ્ડ કપ જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

(3:57 pm IST)