Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ચેન્નાઇ એફસીના મુખ્ય કોચ ગ્રેગોરીની હકાલપટ્ટી

નવી દિલ્હી:ઇન્ડિયન સુપર લીગ ક્લબ ચેન્નાઈન એફસીએ લીગની છઠ્ઠી સીઝનમાં નબળા પ્રદર્શનને જોતા તેમના મુખ્ય કોચ જ્હોન ગ્રેગરીને પદ પરથી હટાવ્યા છે. ચેન્નઈ એફસીના માલિકોએ સંયુક્ત નિવેદનમાં વાતની પુષ્ટિ કરી છે.ક્લબના માલિકોએ એક સંયુક્ત નિવેદનમાં કહ્યું, "ક્લબ સારી સેવાઓ માટે જ્હોન ગ્રેગરીનો આભાર માને છે. જ્હોનની દેખરેખ હેઠળ ક્લબએ તેનું બીજું આઈએસએલ ટાઇટલ જીત્યું."ચેન્નઈ એફસી હાલમાં 10 ટીમોના કોષ્ટકમાં આઠમું સ્થાન ધરાવે છે. અત્યાર સુધીમાં તેને મેચોમાં એક જીત મળી છે.

(5:21 pm IST)