Gujarati News

Gujarati News

News of Friday, 30th November 2018

રણજી ટ્રોફીમાં સુરતના પારસી ક્રિકેટર અરજન નગવાસવાલાએ મુંબઈની ઝડપી પાંચ વિકેટ

મુંબઈ :ગુજરાત અને મુંબઇ વચ્ચે રણજી ટ્રોફી રમાઇ રહી છે.ગુજરાતના બોલર અરજન નગવાસવાલા પણ રમી રહ્યો છે. અરજને મુંબઇ સામે 5 વિકેટ ઝડપી હતી જેને કારણે મુંબઇની ટીમ 297 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

  અરજન નગવાસવાલા સૂરતનો પાસરી ક્રિકેટર છે. ભારતીય ક્રિકેટ ટીમના ઇતિહાસમાં અત્યાર સુધી આશરે 12 પારસી ક્રિકેટર રમી ચુક્યા છે. જેમાં પોલી ઉમરીગર, નારી કોન્ટ્રાક્ટર, રૂસી સૂરતી, ફારૂખ એન્જિનિયર જેવા દિગ્ગજ ખેલાડી સામેલ છે. મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં અરજન નગવાસવાલાએ 5 વિકેટ ઝડપતા મુંબઇની ટીમ 297 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

 

(12:32 pm IST)