Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

તેંડુલકર, બદ્રિનાથ અને યૂસુફ બાદ

હવે ઇરફાનને પણ કોરોના

ઇરફાને ટ્વીટ કર્યું કે મને કોઈ લક્ષણ નથી. મેં ખુદને આઇસોલેટ કરી લીધો છે અને હું ઘર પર કવોરેન્ટીન છું

નવી દિલ્હીઃ તાજેતરમાં શ્રીલંકા લેજન્ડને હરાવી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ જીતનારી ઈન્ડિયન લેજન્ડ્સ ટીમના ખેલાડીઓનું કોરોના પોઝિટિવ આવવાનું જારી છે. અત્યાર સુધી ટીમના કેપ્ટન સચિન તેંડુલકર, ઓલરાઉન્ડર યૂસુફ પઠાણ અને બેટ્સમેન એસ બદ્રિનાથ સંક્રમિત થઈ ચુક્યા છે અને હવે આ લિસ્ટમાં ઇરફાન પઠાણનું નામ પ જોડાઇ ગયું છે. ઇરફાને ટ્વીટ કરી આ માહિતી આપી છે.

 ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડરે ટ્વીટ કરી લખ્યુ, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને કોઈ લક્ષણ નથી. મેં ખુદને આઇસોલેટ કરી લીધો છે અને હું ઘર પર કવોરેન્ટીન છું. હું નિવેદન કરુ છું કે હાલમાં મારા સંપર્કમાં આવેલા લોકો પોતાનો ટેસ્ટ કરાવી લે. બધાને કહેવા ઈચ્છુ છું કે માસ્ક જરૂર પહેરો અને સોશિયલ ડિસ્ટેન્સનું ધ્યાન રાખો. તમારા બધાનું સ્વાસ્થ્ય સારૂ રહે.

(1:18 pm IST)