Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મેચ રોમાંચક તબકકામાં: ભારતને જીતવા ૪ વિકેટની જરૂર

કાનપુર ટેસ્ટ નિર્ણાયક દિવસે ન્યુઝીલેન્ડ બીજા દાવમાં ૧૩૧/૬ : જાડેજા-અશ્વિનને-૨-૨ અને યાદવ, પટેલને ૧-૧ વિકેટ : વિકેટ મેળવવા ટીમ ઇન્ડિયાના બોલરોના મરણીયા પ્રયાસ જારી

કાનપુરઃ ગ્રીનપાર્ક સ્ટેડીયમ ખાતેના મેદાનમાં ટીમ ઇન્ડિયાના બોલરો વિકેટ મેળવવા ઝઝુમી રહયા છે. ભારતે આપેલા ૨૮૪ રનના ટાર્ગેટ સામે ન્યુઝીલેન્ડે ૬ વિકેટે ૧૩૧ રન બનાવ્યા છે. ભારતને મહાજીત મેળવવા માટે ૪ વિકેટની જરૂર છે.

ગઇકાલે ન્યુઝીલેન્ડની ૧ વિકેટ પડી હતી. આજે લંચ સુધીમાં બ્લેકકેટસએ એકપણ વિકેટ ગુમાવી ન હતી. લાથર અને સોમરવીલે વિકેટ પડવા દીધી ન હતી. લંચ બાદ લાથમ પર અને સોમરવીલે ૩૬ રન બનાવી આઉટ થયા હતા. ટી ટાઇમના થોડા સમય પહેલા જ ટેલરને જાડેજાએ એલબીડબલ્યું આઉટ કર્યો હતો.

આ લખાય છે ત્યારે ન્યુઝીલેન્ડે ૭૧ ઓવરમાં ૬ વિકેટે ૧૩૧ રન બનાવ્યા હતા. વિલીયમ્સન પણ આઉટ થયો છે. 

જાડેજા-અશ્વિનને-૨-૨ અને યાદવ, પટેલને ૧-૧ વિકેટ ઝડપી છે. ભારતના બોલરોને મેચ જીતવા ૪ વિકેટની જરૂર છે.

(3:24 pm IST)