Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ચાઇનામેન સ્પિનર ​​કુલદીપ યાદવના ઘૂંટણની થઇ સફળ સર્જરી

નવી દિલ્હી: ભારતના ડાબા હાથના સ્પિનર ​​કુલદીપ યાદવે બુધવારે સફળતાપૂર્વક ઘૂંટણની સર્જરી કરાવી છે. યુએઈમાં ચાલી રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ દરમિયાન તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી. તેણે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને સર્જરી વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ઓપરેશન સફળ રહ્યું અને રિકવરી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમનાર કુલદીપ ભારતીય ટીમમાંથી બહાર છે અને સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરતા પહેલા તેને લાંબી પુનર્વસન પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

(5:24 pm IST)