Gujarati News

Gujarati News

News of Monday, 29th May 2023

આઈ એમ સોરી વિરાટ કોહલી સરઃ નવીન ઉલહકનું ટ્‍વિટ વાયરલ

શું ઝગડો પૂરો?

નવી દિલ્‍હીઃ આઈપીએલમાં વિરાટ કોહલી અને નવીન ઉલ હક વચ્‍ચેની લડાઈ ચર્ચાનો વિષય બની હતી. જો કે, સિઝનના અંત પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે વિરાટ  અને નવીન વચ્‍ચેનો વિવાદ સમાપ્ત થઈ ગયો છે. પરંતુ આવું થયું નથી. નવીન ઉલ હકે વાયરલ થઈ રહેલા સોરી મેસેજની હકીકત જણાવી  છે.હકીકતમાં સોશિયલ મીડિયા પર નવીન ઉલ હકના નામે એક ટ્‍વીટ વાયરલ થઈ રહી હતી. આ ટ્‍વીટમાં લખવામાં આવ્‍યું હતું કે, આઇ એમ સોરી વિરાટ કોહલી આ ટ્‍વીટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું અને તેના પર ૨૫ હજારથી વધુ લાઈકસ પણ જોવા મળ્‍યા.નવીને આ ટ્‍વીટને ફેક ગણાવ્‍યો છે. એટલું જ નહીં, નવીન ઉલ હકે ચાહકોને આ ટ્‍વીટ કરનાર હેન્‍ડલ સામે રિપોર્ટ કરવાની પણ અપીલ કરી છે. નવીને લખ્‍યું છે કે, આ ફેક એકાઉન્‍ટનું ટ્‍વીટ છે. જે સામે આવે તેણે તેની સામે જાણ કરવી જોઈએ.(

(5:35 pm IST)