Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

પાકિસ્તાન સામેની સિરીઝને મામલે નીતિ સ્પષ્ટ કરવા કેન્દ્ર સરકારને ક્રિકેટ બોર્ડે કરી વિનંતી

ભારતીય ક્રિકેટ બોર્ડે કેન્દ્ર સરકારને ભારત અને પાકિસ્તાન વચ્ચેની દ્વિપક્ષી સીરીઝને લઈને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવાની વિનંતી કરી છે. આ બંને પાડોશી દેશો વચ્ચે રાજકીય તણાવને કારણે ૨૦૧૨થી કોઈ દ્વિપક્ષી સીરીઝ નથી રમાઈ. ક્રિકેટ બોર્ડે જણાવ્યુ હતું કે સરકાર તરફથી કોઈ દ્વિપક્ષી સીરીઝ ન રમી શકે. વિશ્વનું સૌથી અમીર બોર્ડ આઈસીસી વિવાદ નિવારણ મંચમાં જતા પહેલા સરકાર પાસે સ્પષ્ટતા માગે છે. ક્રિકેટ બોર્ડે આઈસીસીમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કરેલા ૭ કરોડ ડોલર અંદાજે ૪૭૧ કરોડ રૂપિયાના વળતરને મામલે પોતાનો પક્ષ રજૂ કરવાનો છે.

(2:34 pm IST)