Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

વન-ડે ટીમમાંથી બહાર થતાં ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ - મેચોની તૈયારી માટે સમય મળશે : રહાણે

અજિંકય રહાણે ઘણો સકારાત્મક ખેલાડી છે. ભલે ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ભારતની વન-ડે ટીમમાં તેની પસંદગી ન થઈ હોય, પરંતુ તેના મતે આવુ થતાં ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી પાંચ ટેસ્ટ મેચોની સીઝનની તૈયારી માટે વધુ સમય મળશે. રહાણેએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે તૈયારી માટે સમય મળવો બહુ જ મહત્વનો છે. વળી જયારે તમને ખબર છે કે તમે વન-ડે ટીમમાં નથી અને તમારે ઈંગ્લેન્ડમાં માત્ર ટેસ્ટ મેચોમાં જ રમવાનુ છે તો તમે ઘણા સ્પષ્ટ થઈ જાઓ છો. અત્યારે મારૂ સમગ્ર ધ્યાન ટેસ્ટ પર છે. જો કે મારૂ માનવુ છે કે હું વન-ડે ટીમમાં પણ વાપસી કરી શકું છું.

(2:31 pm IST)