Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

2017માં આ દિગ્ગ્જ ખેલાડીઓએ લીધો સન્યાસ

નવી દિલ્હી: 2017નું વર્ષ રમતની દુનિયાના ખેલાડીઓ માટે ખાસ રહ્યું છે જેમાં અનુક ખેલાડીઓએ નવા રેકોર્ડ બનાવ્યા તો અમુક ખેલાડીઓએ રમતની દુનિયાને અલવિદા કહી દીધું છે. સન્યાસ લેવામાં દિગ્ગ્જ ખેલાડી તરીકે દોડવીર ઉસેલ બોલ્ટનું નામ પહેલું આવે છે.સિવાય પણ અમુક ખેલાડીઓ એવા છે જેમના સન્યાસ લેવાથી તેમના ફેન્સ દુઃખી થઈ ગયા છે. અને તેમને રમતની દુનિયામાં આપેલા યોગદાનને હમેશા યાદ કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ટીમના ઝડપી બોલર આશિસ નેહરા પણ વર્ષે ક્રિકેટની દુનિયાને અલ્વીએ કહ્યું છે. નેહરાએ 17 ટેસ્ટ,120 વનડે અને27 ટી-20 મેચ રમી છે. વનડે મેચમાં તેના નામે 157 વિકેટ લીધાનો રેકોર્ડ છે.

બીજી તરફ પાકિસ્તાન ક્રિકર્ટ જગતનું નામાકીંગ નામ એટલે શાહિદ આફ્રિદી.જેને વર્ષે ફેબ્રુઆરીમાં ક્રિકેટને બાય બાય કહ્યું છે.  પાકિસ્તાનના ધુરંધર બેટ્સમેને 21 વર્ષની ક્રિકેટની કારકિર્દી રમી છે.

(6:24 pm IST)