Gujarati News

Gujarati News

News of Thursday, 28th December 2017

અંડર-19 ક્રિકેટ વિશ્વકપણું મહત્વ ઘણું વધુ રહ્યું છે: શિખર ધવન

નવી દિલ્હી: ભારતીય સિનિયર ટીમના સલામી બેટ્સમેન શિખર ધવનનું માનવું છે કે અંડર -19 ક્રિકેટ વિશ્વકપણું મહત્વ દિવસને દિવસે વધતું જોવા મળી રહ્યું છે. પાછળનું કારણ છે કે ટીમમાં રમનાર વધુ પડત ખેલાઇડ પોતાની સિનિયર ટીમોનું પ્રતિનિધત્વ કરતા હોઈ છે.

અંડર 19નો ક્રિકેટ વિશ્વકપ આવતા વર્ષે 13 જન્યુઆરીથી ન્યુઝીલેન્ડમાં રમવાનો છે. ભારત પાંચ વખત ટુર્નામેન્ટની ફાઇનલમાં જગ્યા બનાવી છે અને ત્રણવાર ખિતાબ પોતાના નામે કરવામાં સફળતા મેળવી છે. શિખર દ્વારા આપેલી માહિતી મુજબ આઇસીસીએ કહ્યું કે અંડર-19 ક્રિકેટ વિશ્વકપ યુવાઓ માટે એક શાનદાર મંચ છે જ્યાં તેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો અનુભવ મળે છે.

(6:21 pm IST)