Gujarati News

Gujarati News

News of Monday, 18th November 2019

ધોની પર ગંભીરે લગાવ્યો 2011ના વર્લ્ડકપની ફાઇનલમાં ષડયંત્ર રચવાનો આરોપ: કર્યો ખુલાસો : કઈ રીતે સદી ચુક્યો

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 2011માં ધોનીની સુકાનીપદ હેઠળ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ હાંસલ કર્યો હતો  ભારતની આ જીતમાં એમએસ ધોનીએ અણનમ 91 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જ્યારે ગૌતમ ગંભીરે 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

   ફાઇનલ મેચમાં ગંભીર સદીથી ફક્ત 3 રન દૂર રહી ગયો હતો અને હવે 8 વર્ષ બાદ તેણે સદી ચૂકી જવાને લઇને એમએસ ધોનીને જવાબદાર ઠેરવ્યો છે. ગંભીરે જણાવ્યું કે ધોનીની સલાહના કારણે મારુ ધ્યાન ભંગ થઇ ગયું અને મે મારી વિકેટ ગુમાવી દીધી.

   ગંભીરે ખુલાસો કર્યો કે, ફાઇનલ મેચ મારા મગજમાં ફક્ત શ્રીલંકા દ્વારા આપવામાં આવેલો ટાર્ગેટ હતો અને મારા વ્યક્તિગત સ્કોર પર મારુ ધ્યાન ન હતું. મેચમાં જ્યારે હું 97 રન બનાલીને રમી રહ્યો હતો અને ત્યારે ઓવર પૂરી થયા બાદ ધોની મારી પાસે આવ્યો અને કહ્યું કે આ ત્રણ રન બાકી છે. આ ત્રણ રન હાંસેલ કર અને તારી સદી પૂરી થઇ જશે.

(7:33 pm IST)