Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

આવતા વર્ષે ભારતમાં રમાનાર વન-ડે વર્લ્‍ડકપમાં સરકાર ટેકસમાં રાહત આપે

BCCIના અધિકારીઓની નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત

નવી દિલ્‍હીઃ બીસીસીઆઇના અધિકારીઓએ કેન્‍દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી હતી. જેમાં આવતા વર્ષે ભારતમાં થનાર વન-ડે વર્લ્‍ડ કપને લઇને સરકારને ટેકસમાં રાહત આપવાની માંગ કરી હતી. બીસીસીઆઇ અધ્‍યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ અને ઉપાધ્‍યક્ષ રાજીવ શુકલા નાણાામંત્રી નિર્મલા સીતારમણને મળ્‍યા હતા.

બીસીસીઆઇના વરિષ્‍ઠ અધિકારીએ જણાવ્‍યું કે આ મુલાકાત દરમ્‍યાન તેમજે જણાવ્‍યું કે જો ટેકસમાં રાહત નહીં મળે તો ભવિષ્‍યમાં ભારતમાં આંતરરાષ્‍ટ્રીય ટુર્નામેન્‍ટના આયોજનમાં તકલીફ થઇ શકે છે. અમને પહેલા પણ દેશમાં આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટ બોર્ડ આઈસીસીની ટુર્નામેન્‍ટના આયોજનમાં ટીડીએસમાં ૧૦ ટકાની રાહત મળી છે. નાણામંત્રીએ બીસીસીઆઇના પદાધિકારીઓને આ અંગે વિચાર કરવાનું આશ્વાસન આપ્‍યું છે.

(3:59 pm IST)