Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

હાર્દિકનો ખેલ ખતમ : શાસ્ત્રી - કોહલી હવે તેને તક આપવાના મૂડમાં નથી : શાર્દૂલનું સ્થાન નક્કી

નવી દિલ્હી : હાર્દિક પંડ્યા ફીટ થઈ ગયો છે. ટીમ ઈન્ડિયાના દૃષ્ટિકોણથી આ સારા સમાચાર છે. પરંતુ એવું લાગે છે કે વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી તેને ન્યુઝીલેન્ડ સામેની મેચમાં તક આપવાના મૂડમાં નથી. દેખીતી રીતે તેની પાછળનું મોટું કારણ પાકિસ્તાનના હાથે હાર છે. પંડ્યા બોલીંગ કરી રહ્યો નથી. તેની બેટીંગની હાલત પણ ઉપરથી ખરાબ છે.

જેના કારણે તેઓ તેમને મેચમાંથી બહાર રાખી શકે છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ૩૧ ઓકટોબરે મેચ રમાવાની છે. જેમાં શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરીને છઠ્ઠા બોલીંગ કરાવી શકે છે.

ભારતને નંબર ૬ પર એવા ખેલાડીની જરૂર છે જે બેટીંગમાં કેટલાક રન અને બોલીંગમાં છઠ્ઠા વિકલ્પની ભરપાઈ કરી શકે.

(2:52 pm IST)