Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

23 ઓક્ટોબરના રોજ થશે બીસીસીઆઈના નવા અધિકારીઓનું એલાન

નવી દિલ્હી: ચૂંટણી અધિકારીઓએ બીસીસીઆઈના પૂર્ણ સભ્યોને 23 ઓક્ટોબરના રોજ થનાર બોર્ડની વાર્ષિક સામાન્ય બેઠક એજીએમ માટે પોતાના પ્રતિનિધિઓનું નામ મોકલવાનું કહ્યું છે. બીસીસીઆઈના ચૂંટણી 23 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યાની વચ્ચે થશે.અને ત્રણ વાગ્યે અધિકારીઓના નામ ઘોષિત કરવામાં આવશે.

                    પ્રતિનિધિઓના નામ મોકલવાની અંતિમ તારીખ 26 સપ્ટેબર હોવાનું માલુમ પડી રહ્યું છે. ઇલેક્ટ્રોલ રોલના ડ્રાફ્ટ ચાર ઓક્ટોબરના પાંચ વાગ્યે જાહેર કરવામાં આવશે જયારે  નામને લઈને પાંચ અને સાત ઓક્ટોબરના સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધી પસંદગી કરવામાં આવશે

(6:37 pm IST)