Gujarati News

Gujarati News

News of Tuesday, 27th August 2019

અર્જુન તેંડુલકર નો મુંબઈની ટીમમાં સમાવેશ : નાગપુરમાં રમાનાર 'બાપુના કપ 'માટે પસંદગી

વિદર્ભ ક્રિકેટ એસો,આયોજિત 50 ઓવરની ટુર્નામેન્ટનો પાંચમી સપ્ટેમ્બરથી પ્રારંભ

મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અને ડાબા હાથના ઝડપી બોલર અર્જુન તેંડુલકરને નાગપુરમાં રમાવનાર 'બાપુના કપ' માટે મુંબઈની ૧૫ સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. સૂર્ય કુમાર યાદવની કેપ્ટનશીપ વાળી ટીમની જાહેરાત મુંબઈ ક્રિકેટ એસોસિએશને સોમવારે પોતાની વેબસાઈટ પર કરી છે.

બાપુના કપ સીઝન પહેલા રમાવનાર ટુર્નામેન્ટ છે જેનું આયોજન વિદર્ભ ક્રિકેટ એસોસિએશન કરે છે. આ વર્ષે આ ટુર્નામેન્ટ ૫૦ ઓવરની હશે અને તેની શરૂઆત પાંચ સપ્ટેમ્બરથી થશે.

મુંબઈની ટીમ આ પ્રકાર છે : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), આદિત્ય તારે, જય બિસ્ટા, સરફરાઝ ખાન, શુભમ રંજને, રોનક શર્મા, એકનાથ કેરકર, સુફિયાન શેખ, આકાશ પારકર, શમ્સ મુલાની, આદિત્ય ધુમલ, શશાંક અટાર્ડે, આકિબ કુરૈશી, કુર્તિક હનાગાવાડી, અર્જુન તેંડુલકર

(11:02 am IST)