Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસુર્યાનું ટોરેન્ટોમાં અકસ્માતમાં મોતથયાના ફેક ન્યુઝ વાયરલ ;આર,અશ્વિન પરેશાન : જાણકારી માંગી

જયસૂર્યાએ કહ્યું હું બિલકુલ સ્વસ્થ છું અને શ્રીલંકામાં છું કેનેડામાં નથી

નવી દિલ્હી :વિશ્વના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂયાની મોતની અફવા સોશિયલ મીડિયા પર ફેલાઈ છે સોશિયલ મીડિયા પર ન્યૂઝ વાયરલ થયા કે સનથ જયસૂયા ટોરેન્ટોમાં એક માર્ગ અકસ્માતનો શિકાર બન્યો અને તેનું મોત થઈ ગયું. આ ન્યૂઝ ફેલાતાં ટીમ ઈન્ડિયાના ઓફ સ્પિનર આર અશ્વિન પણ પરેશાન થઈ ગયો અને તેણે ટ્વિટ પર ફેન્સ પાસેથી આ અંગે જાણકારી માંગી.હતી

  અશ્વિને ટ્વિટ કર્યું કે, શું સનથ જયસૂર્યા પર આવી રહેલા ન્યૂઝ સાચા છે. મને વોટ્સએપ પર આવા ન્યૂઝ મળ્યા પરંતુ ટ્વિટર પર આવું નથી દેખાતું. ત્યારબાદ ફેન્સે અશ્વિનને જાણકારી આપી કે આ ન્યૂઝ બિલકુલ ખોટા છે

   સનથ જયસૂર્યાએ પણ આ ન્યૂઝને ખોટા ગણાવ્યા છે. જયસૂયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર તેની જાણકારી આપી. જયસૂર્યાએ ટ્વિટ કરી પોતે સકુશળ હોવાની વાત કહી. જયસૂર્યાએ કહ્યું કે, મારા વિશે ફેલાવામાં આવેલા ખોટા ન્યૂઝનું ખંડન કરું છું. હું બિલકુલ સ્વસ્થ છું. હું શ્રીલંકામાં છું અને હું કેનેડા નથી ગયો. પ્લીઝ ખોટા ન્યૂઝને શેર ન કરો.

(2:02 pm IST)