Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વર્લ્ડ કપ પૂરો થયા બાદ ધોની શું કરશે એ વિશે મને ખબર નથીઃ ફલેમિંગ

માહિ વર્લ્ડકપ બાદ પણ એક વર્ષ સુધી રમે તેવી મારી ઈચ્છા

ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગને એ ખબર છે કે મહેન્દ્ર સિંહ ધોની ૨૦૧૯નો વર્લ્ડ કપ રમવા ઇચ્છે છે, પરંતુ ભૂતપૂર્વ ભારતીય કઙ્ખપ્ટન અને બેટ્સમેન વર્લ્ડ કપ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમશે કે નહીં એ વિશે ફ્લેમિંગ હાલમાં સુનિશ્ચિત નથી.

નોંધનીય છે કે વર્તમાનમાં એવા સંકેત મળી રહ્યા છે કે ઇંગ્લેન્ડમાં ૩૦ મેએ શરૂ થનારો વર્લ્ડ કપ ધોનીનો છેલ્લો વર્લ્ડ કપ હશે, પરંતુ ચેન્નઈના કોચ સ્ટીફન ફ્લેમિંગ ઇચ્છે છે કે વર્લ્ડ કપ બાદ પણ ધોની ઓછામાં ઓછા એક વર્ષ સુધી ક્રિકેટ રમે. જયારે ફ્લેમિંગને પૂછવામાં આવ્યું કે ધોનીની કયા સુધી ક્રિકેટ રમવાની આશા છે ત્યારે જવાબ આપતાં ફ્લેમિંગે કહ્યું કે મને ખબર નથી.

ફ્લેમિંગે કહ્યું હતું કે મને ચોક્કસપણે અપેક્ષા છે કે તે વર્લ્ડ કપ રમશે, પરંતુ ત્યાર બાદ તેઓ શું કરશે એ વિશે હું સુનિશ્ચિત નથી. અમે અત્યાર સુધી આ વિશે વાત કરી નથી. મોટા ભાગે વર્લ્ડ કપમાં રમશે કે નહીં એ વિશે જ વાતો થઈ છે. જયારે છેલ્લા ૧૨ મહિનામાં ધોનીએ આનો શાનદાર જવાબ આપ્યો છે.

(3:40 pm IST)