Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

સૈયદ મુસ્તાક અલી ટી-૨૦ ટુર્નામેન્ટ માટે સૌરાષ્ટ્રની ટીમ જાહેરઃ જયદેવ ઉનડકટ કેપ્ટન

રાજકોટઃ સૈયદ મુસ્તાક અલી ટ્રોફી ટી-૨૦ ટુર્નામેન્ટ  માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા સૌરાષ્ટ્રની ટીમ જાહેર કરવામાં આવી છે જે આ મુજબ છે. જયદેવ ઉનડકટ (કેપ્ટન), ચિરાગ જાની, અવિ બારોટ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હાર્વિક દેસાઇ, અર્પિત વસાવડા, સમર્થ વ્યાસ, વિશ્વરાજસિંહ જાડેજા, ચેતન સાકરીયા, પ્રેરક માંકડ, દિવ્યરાજસિંહ ચૌહાણ, વંદીત જીવરાજાની, પાર્થ ભુત, અગ્નિવેશ અયાચી, કુનાલ કરમચંદાણી, યુવરાજ ચુડાસમા, હિમાલય બારડ, કુસંગ પટેલ, પાર્થ ચૌહાણ અને દેવાંગ કરમટા, ઇલાઇટ ગ્રુપ ડીમાં સૌરાષ્ટ્રની ટીમ સાથે સર્વીસીઝ, વિદર્ભ, ગોવા, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ટીમો છે.

સૌરાષ્ટ્રના મેચો આ મુજબ છે. ૧૦ જાન્યુ. સર્વીસીઝ સામે, ૧૩ જાન્યુ. મધ્યપ્રદેશ સામે અને ૧૯મી જાન્યુ.ના રાજસ્થાન સામે મેચ રમાશે. તમામ મેચો ઇન્દોરમાં રમાશે.

(3:21 pm IST)