Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

બ્લેન્ક ચેકનું શું થયું? બિઝનેસમેનને ગોતો

પાકિસ્તાનીઓ રમીઝ રાજાને પૂછી રહ્યા છે સવાલ

નવી દિલ્હી : પીસીબીના અધ્યક્ષ રમીઝ રાજાએ કહેલુ કે તેમની ટીમ ભારતને હરાવે તો તેમના માટે બ્લેન્ક ચેક તૈયાર છે. હવે પાકની જીત બાદ પીસીબી ચીફને પૂછી  રહ્યા છે કે તો તમે જે કોરા ચેક માંગ્યા હતા તેનું શું થયું.

એક ટ્વિટર યુઝરે લખ્યું- 'હેલો મિસ્ટર ચેરમેન રમીઝ રાજા!  હું તમને યાદ કરું છું.  મહેરબાની કરીને બિઝનેસમેનને ફોન કરો જેણે પાકિસ્તાન ક્રિકેટને બ્લેન્ક ચેક ઓફર કર્યો હતો.'  જો પાકિસ્તાન ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧માં ભારતને હરાવશે!  ક્રિકેટ લેખક અને હોસ્ટ વિક્રમ સાથયેએ પણ એક ફની ટ્વીટ કરી છે.  તેણે લખ્યું- શું થઈ રહ્યું હશે તે બિઝનેસમેન, જેના તરફથી પાકિસ્તાન ટીમને બ્લેન્ક ચેક ઓફર કરવામાં આવ્યો હતો. આ સિવાય ઘણા યુઝર્સે બ્લેન્ક ચેકના નિવેદન પર રમીઝ રાજાને ખરાબ રીતે ટ્રોલ કર્યા હતા.

(2:52 pm IST)