Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

ભારતનો રાષ્ટ્રીય ખજાનો એટલે ચહલ : રોહિત શર્મા

નવી દિલ્હી, તા. ૨૬  : ઈન્ડિયન ક્રિકેટ ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાની અનેક પ્રકારની મસ્તીને કારણે ચર્ચામાં રહેતો હોય છે. વિરાટ કોહલીએ તો તેને જોકર કહીને પણ બોલાવ્યો હતો અને હવે ચહલના ૩૦મા જન્મદિવસે હિટમૅન રોહિત શર્માએ તેને ભારતનો મહાન રાષ્ટ્રીય ખજાનો કહ્યો છે. ચહલને બર્થ-ડે વિશ કરતાં રોહિતે કહ્યું કે 'ભારતના મહાન રાષ્ટ્રીય ખજાના યુઝવેન્દ્ર ચહલને જન્મદિનની ખૂબ-ખૂબ શુભેચ્છા.'

માત્ર રોહિત શર્માએ જ નહીં, વિરાટ કોહલીએ પણ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. વિરાટે કહ્યું, 'હેપી બર્થ-ડે યુઝી. ગૉડ બ્લેસ યુ. તારામાં રહેલી તાકાત જાળવી રાખજે.'

(11:39 am IST)