Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

IPLનું આયોજન કરવાથી દેશનો મૂડ બદલાશે

ભૂતપૂર્વ ઓપનર બેટ્સમેને કહ્યું કે,

નવી દિલ્હી, તા.૨૬ : દુનિયાની સૌથી મોટી Indian Premier Leagueના ચેરમેન બૃજેશ પટેલે સ્પષ્ટ કર્યું છે, કે આ વખતે IPL લીગ ૧૯ સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાશે. જ્યારે IPLની ફાઈનલ મેચ ૮ નવેમ્બરના રોજ રમાશે. આ પહેલાં IPL૨૯ માર્ચથી શરૂ થવાની હતી પરંતુ કોરોના વાઈરસની મહામારીના કારણે આઈપીએલ સ્થગિત કરવામાં આવી હતી.

ગંભીરે એક સ્પોર્ટસ ચેનલ પર કહ્યું કે, એ જરૂરી નથી કે આઈપીએલ ક્યાં રમાઈ છે. જો IPL યૂએઈમાં રમાશે. તો મને લાગે છે કે, તે યોગ્ય છે. IPLના આયોજનથી બધા જ દેશવાસીઓનો મુડ બલાશે.

ભારતીય ટીમની પૂર્વ ઓપનરએ કહ્યું, એ મહત્વનું નથી કે, કઈ ટીમ જીતશે. કયા બેટ્સમેન સૌથી વધુ રન બનાવશે અને કયો બોલર સૌથી વધુ વિકેટ લેશે, લીગ સરળતાથી દેશનો મનોબળ બદલશે. તેથી આ IPL અન્ય IPLની સીઝન કરતા વધુ સારી રહેશે. કારણ કે મને લાગે છે આ IPL દેશ માટે છે. આ વર્ષે IPL ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થશે. લીગની ફાઈનલ ૮ નવેમ્બરે રમાશે.

 આ ટૂર્નામેન્ટ યુનાઈટેડ આરબ અમિરાત (UAE)માં રમાશે. ભારતમાં કોવિડ-૧૯ની મહામારીને લઈ IPLનું આયોજન (UAE)માં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

(11:37 am IST)